।। મિચ્છામિ દુક્કડ઼મ ।।
નીચેથી ઊંચાણ અને ઊંચેથી ઉંડાણ,
દરેક દ્રષ્ટિમાં અંતરના પ્રમાણ જુદા જ હોય છે.
અનેકાંતવાદની દ્રષ્ટિ ને અમૂલ્ય જૈનધર્મ-દાયક
શ્રી મહાવીરના વખાણ જુદા જ હોય છે.
ચૌગતિમાંથી સિધ્ધશિલા સુધી તારનારાં
દર્શન-જ્ઞાન-ચારિત્રના વહાણ જુદા જ હોય છે.
પર્યુષણ મહાપર્વમાં જૈનબંધુઓમાં
દયા અને ક્ષમાના પરિમાણ જુદા જ હોય છે.
ક્ષમાયાચક છું હું નાનો અમથો
ક્ષમાદાન કરનારા આપ જેવા મહાન જુદા જ હોય છે.
।। મિચ્છામિ દુક્કડ઼મ ।।
© Copyright - Nimesh Shah